Wednesday 12 October 2016

વિરહ હસ્તરેખાનો

શીરવા અને આજઁવ એક જ ઇનસ્ટીટયૂટમાં સાથે ખૂબ મીત્રતા.આજઁવ મનોમન ચાહે પણ કહેવાયું નહી.બથઁડે પાટીઁમાં આવેલ આજઁવનો કઝીન નીરમન પણ ખૂબ સમાટઁ ને ફેન્ડલી .છવાઈ ગયો શીરવાનાં હ્દયે . શીરવાનાં ઘરે બધા જન્માક્ષર માં ઘણું માને.
જયોતિષ ને બધાએ બતાવ્યું. નીરમન શીરવાનાં ગ્રહ સરસ મળી ગયા. આજઁવ ને કહયું. "તારા ગ્રહો ભારી છે."
આજઁવ કહે "જે થાય એ,આપણે તો આનંદથી જીવી લેવાનું."
ધૂમધામથી લગ્ન થયા. નીરમન -શીરવા હનીમૂન પર અને આજઁવે લંડન ની ઓફીસ જોઈન્ટ કરવા ફલાઈટ પકડી. મમ્મી -પપ્પા નાં આગ્રહ થી લગ્ન કરી લીધા. નીરમન શીરવા નાં જીવનમાં બાળક આવવાનું જાણી અભીનંદન આપ્યા.
પણ.....જીંદગી એમ થોડી પરી-રાજકુમારની વાતાૅ હતી.વહેલી સવારે ઇન્ડિયાથી આવેલા ફોન પર નીરમનનાં કાર અકસ્માત માં મૃત્યુ પામ્યાનાં ન્યૂઝ સાંભળી ફલાઈટ લઇસી સીધો ઈન્ડિયા. 
શીરવા -આજઁવ ખૂબ રડ્યા.સ્વસથ થઈ જયોતિષ ને ફોન કરી પૂછયું, એમણે કહયું નીરમને પૈસા આપી કહયું હતું જે સારા ગ્રહ હોય એવું મેળવી મારું ગોઠવી દેજો. 
શીરવા પૂછે શું કહયું? આજઁવ કહે,"કઇ નહી. નસીબ માં જે હોય તે .".અને ભારે હૈયે લંડન ની ફલાઈટ પકડી. 



No comments:

Post a Comment