Monday 17 October 2016

કોને દોષ દેવો?

 ચિરંતન અને મીમાંસા સામસામેનાં ઘરમાં  રહે .ઘરમાં કોઈને ખ્યાલ ન આવે એ રીતે મળતા રહે . ચીરંતનનાં ભાઈનો ટેક્ષ્ટાઈલનો બીઝનેસ, એમાં ૩ વર્ષ પહેલા ગામ માતા પિતાને મૂકી આવી જોડાયો હતો. મીમાંસાનું ભણવાનું પત્યું ,એટલે એને લગ્ન માટે દબાણ શરુ થઇ ગયું .નાની બહેન હજુ ભણતી હતી . ચિરંતન હજુ સેટ થઇ પોતાનું ઘર વગેરે લઇ લગ્ન કરવા હતા. અમેરિકાથી છોકરો આવ્યો હતો અને એક મહીનાંમાં લગ્ન કરીને જવાનું હતું . 
ખૂબ મનોમંથન કર્યા બાદ એણે વિચાર કર્યો .હું ભાગી જઈશ તો મારી નાની બેન સુરાલીને પણ લગ્નની મુશ્કેલી પડશે અને મમ્મી -પપ્પાની બદનામી થશે . એણે ચુપચાપ ભારે હર્દયે નિર્યણ જણાવી દીધો ચિરંતનને .એ ખૂબ દુખી થયો અને લગ્ન દરમિયાન ગામ જતો રહ્યો .છેલ્લે પતિ સાથે અમેરિકા જતા એક સંવેદના -પ્રેમ વ્યક્ત કરતો કાગળ સુરાલીને આપ્યો અને કહ્યું
"ચિરંતનને આપજે અને હું મારો નિર્યણ ન બદલી શકી એની માફી માંગજે."
સમય વિતતા અમેરિકામાં જીંદગી ગોઠવાઈ રહી હતી . એક રાત્રે ઇન્ડીયાથી ફોન આવ્યો .અને જાણવા મળ્યું કે નાનીબેન સુરાલીએ સામેવાળા છોકરા ચિરંતન સાથે ભાગીને લગ્ન કરી લીધા છે .મીમાંસા એક પળ માટે સ્તબ્ધ થઇ ગઈ અને મમ્મ ને કહ્યું ,
"કંઈ નહિ જે થયું તેને સ્વીકારી લેજો ."
અને ફોન મૂકી ,વિચારે ચઢી ગઈ ....... આપણે આખી દુનિયાનો વિચાર કરીએ ને લાગણીમાં વહીયે ......બધા થોડા એવું વિચારે ? ૨૧ મી સદીમાં તો આવું જ હશે. હું જ જુના વિચારોને વળગી રહી.

No comments:

Post a Comment